ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હતાશ થઈને પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરીઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો.
નવી દિલ્હી: ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હતાશ થઈને પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેકલશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળબનાવ્યા હતા. કર્નલ સોફિયાએ આ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ હુમલાઓ વિશે માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશી અનેવિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા.
ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડીને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યા બાદપાકિસ્તાન દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. દરમિયાન, આ સમગ્ર ઘટના પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સાઉથ બ્લોકમાંસીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.